પુનાના પોર્શે કાર અકસ્માતમાં ચોંકાવનારો ખુલાસો: આરોપીના દાદાનું નીકળ્યું છોટા રાજન સાથે કનેક્શન, ભાઈ સાથેના વિવાદમાં લીધી હતી અંડરવર્લ્ડ ડોનની મદદ
- 22 May, 2024
મહારાષ્ટ્રના પુનામાં પોર્શ કાર એક્સિડન્ટ મામલામાં રિઅલ એસ્ટેટ કારોબારી અગ્રવાલ પરિવાર ચર્ચામાં છે. જોકે હવે આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. એવું જાણવા મળ્યું છે કે અગ્રવાલ પરિવાર માટે કાયદા સાથે છેડછાડ કરવી તે કોઈ નવી વાત નથી. આ સિવાય આ પરિવારનું અંડરવર્લ્ડ કનેક્શન પણ સામે આવ્યું છે. આરોપીના દાદા સુરેન્દ્ર કુમાર અગ્રવાલે પોતાના ભાઈ સાથેના સંપત્તિના વિવાદમાં અંડરવર્લ્ડ ડોન છોટા રાજનની મદદ લીધી હતી. રાજનના ગુંડાઓએ ગોળીબારી કર્યો હતો. આ મામલામાં હત્યાની કોશિશ કરવા અંગેની એફઆઈઆર નોંધાઈ હતી. પહેલા પોલીસે તપાસ કરી હતી. બાદમાં સીબીઆઈને મામલો સોંપવામાં આવ્યો હતો. આ કેસ હાલ કોર્ટમાં પેન્ડિંગ છે.
ઉલ્લેખનીય છે કે પુનામાં 17 વર્ષના છોકરાએ ત્રણ દિવસ પહેલા દારૂના નશામાં પોતાની પોર્શે કારથી બાઈક સવાર બે એન્જિનિયરને કચડી નાંખ્યા હતા. આ દુર્ઘટનામાં બંને છોકરાના મૃત્યુ થયા હતા. મરનારની ઓળખ અનીશ અવધિયા અને અશ્વિની કોષ્ટા તરીકે થઈ છે. બંને મધ્ય પ્રદેના શહેવાસી હતા અને પુનામાં કામ કરતા હતા. આ મામલામાં જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે કેટલીક શરતોની સાથે સગીર આરોપીને મુક્ત કર્યો હતો. પછીથી પોલીસે આરોપીના પિતા વિશાલ અગ્રવાલની છત્રપતિ સંભાજીનગરથી ધરપકડ કરી છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
https://shorturl.at/hjzN0
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ